- મલ્ટિ ટેલેન્ટેડ પુનીત રાજકુમાર એક્ટર હોવાની સાથે પ્લેબેક સિંગર
- રાજકુમારનું ચંદન ચોર વિરપ્પને 2000ની સાલમાં અપહરણ કર્યું હતું
- પુનીત 29 ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે રહ્યા
કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું અવસાન થઇ ગયું છે . હાર્ટએટેકના કારણે 46 વર્ષની ઉંમરે બેંગલોરની હોસ્પિટલમાં તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતા . અભિનેતાના અવસાનના પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું ફરી વળ્યું છે . મલ્ટિ ટેલેન્ટેડ પુનીત રાજકુમાર એક્ટર હોવાની સાથે પ્લેબેક સિંગર , ટીવી પ્રેઝન્ટેટર , પ્રોડયુસર પણ હતા . કન્નડ ફિલ્મોમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે . બાળકલાકાર તરીકે અભિનય યાત્રાની શરૂઆત કરનાર પુનીત 29 ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે રહ્યા હતા . ફિલ્મ વસંત ગીતા , ભાગ્યવંતા , ચાલીસુવા મોદગાલુ , એરાડુ નક્ષત્રગાલુ , બેટ્ટાડા હુવુ જેવી ફિલ્મોમાં તેઓએ દમદાર અભિનય કર્યો હતો , જેમને ખૂબ વખાણવામાં આવ્યો હતો . ફિલ્મ બેટ્ટાડા હુવુમાં રામુના રોલ માટે તેમને બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો . તેમના ફેન્સ તેમને પ્રેમથી પાવર સ્ટાર , અપ્પુ તરીકે પણ બોલાવતા હતા . તેઓએ ગેમ શો કન્નડદા કોટયાધિપતિનું એન્કરિંગ કર્યું હતંુ . પુનીત કન્નડ સિનેમાના હાઇએસ્ટ પેઇડ એક્ટર્સના લિસ્ટમાં સામેલ હતા . ફિલ્મોમાં તેમના દિલધડક સ્ટંટને ફેન્સ અને ક્રિટિક્સ બંને વખાણતા હતા . પુનીત એક એવા વ્યક્તિ હતા જેમણે સાદગી અને વિનમ્રતાથી બધાના દિલ જીતી લીધાં હતાં .
પુનીતનાં માતા – પિતાનું બેકગ્રાઉન્ડ પણ ફિલ્મોનું હતું
પુનીતના પિતાનું નામ રાજકુમાર અને માતાનું નામ પર્વતમ્મા હતંુ . તેમની માતા પ્રોડયુસર અને ડિસ્ટ્રીબ્યૂટર હતાં જ્યારે તેમના પિતા રાજકુમાર કન્નડ સિનેમાના લિજેંડરી સિંગર અને એક્ટર હતા . રાજકુમારની ભારતીય સિનેમાના મહાન કલાકારોમાં ગણના થાય છે . ઉલ્લેખનીય છે કે , પુનીતની છેલ્લી ફિલ્મ યુવારાથના ચાલુ વર્ષે જ રિલીઝ થઇ હતી . પુનીત રાજકુમારના અવસાન પર દેશભરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે . સોશિયલ મીડિયામાં પણ તેમના ફેન્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છેે .
પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે
પુનીતની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમણે 1 ડિસેમ્બર , 1999માં અશ્વિની રેવંત સાથે લગ્ન કર્યા હતાં . બંનેની મુલાકાત એક કોમન મિત્ર દ્વારા થઇ હતી જે બાદમાં લગ્નમાં પરિણમી હતી . આ લગ્નથી તેમને બે દીકરીઓ છે