યોગિક વેલ્થનો સંબંધ શાંતિ અને શીતળતા સાથે છે . જે પ્રાપ્ત કરવામાં દાયકાઓ નીકળી જાય છે
સંપત્તિ સાથે મનુષ્યમાં નમ્રતા ન આવે એ સંપત્તિ શાપરૂપ કહી શકાય . આવી સંપત્તિ ધૃષ્ટતા , ઘમંડ લાવે છે અને તેનું સ્વરૂપ તામસી હોય છે . મોટાભાગે તો આવી સંપત્તિ બીજી પેઢી સુધી પણ પહોંચતી નથી . આંબા પર વધુ કેરીઓ ઊગે ત્યારે ઝાડ નમી જાય છે ( લચી પડે છે ).
આ જ રીતે જ્યારે સંપત્તિ વધે ત્યારે નમ્રતાપૂર્વક નમી જવાનું હોય છે .
ઉક્તિ છે કે ‘ પૈસો મોટા અવાજે બોલે છે અને સંપત્તિ ગણગણે છે ‘. રામકૃષ્ણ મિશનના એક સ્વામીએ મને કહ્યું હતું , ‘ પૈસો જ્યાં સુધી માણસના ખિસ્સામાં હોય છે ત્યાં સુધી સમસ્યા નથી , એ જ્યારે માણસના મગજમાં ઘૂસી જાય છે ત્યારે સમસ્યા સર્જે છે .’ ખરેખર સાચી વાત છે . મગજમાં ઊતરી ગયેલો પૈસો ઉત્પાત મચાવે છે . આપણે જે ઘડીએ પૈસાને મહત્ત્વ આપવા લાગીએ છીએ એ જ ઘડીથી સમસ્યાઓ સર્જાવા લાગે છે .
‘ રાઇડિંગ અ રોલર કોસ્ટરઃ લેસન્સ ફ્રોમ ફઇનાન્શિયલ માર્કેટ સાયકલ્સ વી ઓફ્ન ફ્રગેટ ‘ ના લેખક અમિત ત્રિવેદી કહે છે , ‘ જીવન કરતાં જીવનશૈલીને ક્યારેય વધારે મહત્ત્વ આપવું નહીં .’ એમની વાત સો ટકા સાચી છે . જીવનશૈલી એટલે નર્યો ભૌતિકવાદ . જીવન એટલે મૂલ્યો , ચરિત્ર , વગેરે સદ્ગુણો .
પ્રૅક્ટિસિંગ ફઇનાન્શિયલ પ્લાનર તરીકે મેં ઘણી વાર જોયું છે કે જીવન કરતાં જીવનશૈલીને વધુ મહત્ત્વ આપનારા લોકો ઝડપથી પૈસા કમાવા માગતા હોય છે . એમના મનને ક્યારેય નિરાંત હોતી નથી . તેઓ કાયમ બીજાઓ સાથેની હોડમાં ઊતરેલા હોય છે અને એમના વર્તનમાં ઈર્ષ્યા , અહ્મ , અસલામતી વગેરે ડોકાતાં હોય છે . બીજી બાજુ એવા માણસો હોય છે , જેઓ જીવનશૈલી કરતાં જીવનને વધુ મહત્ત્વ આપે છે . તેઓ પરિપક્વ , સ્થિર , શાંત હોય છે . લાંબા ગાળે તેઓ પવિત્ર રીતે સંપત્તિનું સર્જન કરે છે . એમનું ધન પેઢીઓ સુધી ચાલે છે .
આ વાત પરથી વર્ષો પહેલાંનો કિસ્સો યાદ આવે છે . એક ખ્યાતનામ દંપતી વિમાનના બિઝનેસ ક્લાસમાંં પ્રવાસ કરી રહ્યું હતું . પતિ દક્ષિણ ભારતના જાણીતા બિઝનેસ પરિવારનો હતો . એ વખતે એ સુપ્રસિદ્ધ ક્રિકેટર પણ હતો . કોઈ પણ વ્યક્તિ એમની પાસે જતી , તો એ એમને ઑટોગ્રાફ્ આપતો અને એમની સાથે થોડી વાતો પણ કરી લેતો . એની પત્ની દક્ષિણ ભારતની જ ફ્લ્મિ અભિનેત્રી હતી . શરૂઆતમાં એણે બોલિવૂડમાં એકાદ – બે ફ્લ્મિોમાં કામ કર્યું હતું , પરંતુ એને સફ્ળતા મળી ન હતી . જોકે , પછીથી એની હિન્દી ફ્લ્મિો પણ સારી ચાલી હતી . ઑટોગ્રાફ્ આપતી વખતે એ સંપૂર્ણપણે ઔપચારિક બની જતી અને કહેવા ખાતર સહી કરી આપતી હતી . ઑટોગ્રાફ્ લેનારની સામે જોવાની તસદી પણ લેતી ન હતી . પતિ સાથે લોકો આરામથી વાત કરતા અને પત્ની સાથે વાત કરવાનો તો સવાલ જ આવતો ન હતો .
શક્ય છે કે તેઓ જ્યારે વિમાનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે પત્ની થાકેલી હોય , પણ તેના લીધે વાતચીતના અંદાજમાં અને હાવભાવમાં તોછડાઈ ન આવે . એના વિશે હું વધારે કોઈ ટિપ્પણી કરું એ ઉચિત નથી . મારે તો અહીં એટલું જ કહેવું છે કે જીવનમાં પ્રગતિ કરનાર માણસ નમતો જવો જોઈએ . નમવું એ નમ્રતા અને મનુષ્ય તરીકેની પ્રગતિ દર્શાવે છે .
યોગિક વેલ્થનો સંબંધ શાંતિ અને શીતળતા સાથે છે . એ શાંતિ પ્રાપ્ત કરવામાં દાયકાઓ નીકળી જતા હોય છે , પરંતુ એક વખત એ સ્થિતિ આવી જાય ત્યારે પછીની પેઢીઓ સુધી પહોંચે છે . આપણા દેશમાં હાલ તહેવારોની મોસમ છે . ચાલો , આપણે ઉન્નતિ કરીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને નમ્રતા બક્ષે . સ્વભાવમાં નમ્રતા આવી ગયા પછી કંઈ હાંસલ કરવાનું રહેતું નથી . બાકીની બધી વસ્તુઓ ભગવાનને જ્યારે આપણા માટે યોગ્ય લાગશે ત્યારે તેઓ સામેથી આપશે જ .