ધનતરેસના દિવસથી જ દિવાળીનો તહેવારનો આરંભ થઇ જાય છે. આ દિવસે જ દીપ પ્રજ્વલિત કરવાનો આરંભ કરવામાં આવે છે, પરંતુ મુખ્ય દિવાળી એટલે લક્ષ્મી પૂજન કાર્તિક માસની અમાવસ્યામાં રાત્રિના સમયે કરવામાં આવે છે. આ વખતે દિવાળીનો તહેવાર 04 નવેમ્બરે ઉજવવામાં આવશે. દિવાળી શુભ, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યનો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન ધન અને ધાન્યની કમી નથી રહેતી.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે માં લક્ષ્મી ધરતી પર વિચરણ કરે છે અને પોતાના ભક્તોના ઘરે પધારીને તેમને ધન-વૈભવના આશીર્વાદ આપે છે. તેથી માં લક્ષ્મીના સ્વાગત માટે દિવાળી પર કેટલાક શુભ કાર્ય અવશ્ય કરવા જોઈએ, એવું માનવામાં આવે છે કે, આનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તો ચાલો જાણીએ એવા કયા શુભ કાર્યો છે જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.
કેરીના પાનનું તોરણ
દિવાળી પર માં લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરમાં કલરકામ કરાવે છે અને તેને વિવિધ રીતે શણગારે છે, પરંતુ આ બધા સાથે તેમરા ઘરના દરવાજા પર તોરણ આવશ્યક લગાવવું જોઈએ. દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર આંબા, આસોપાલનના પાનનું તોરણ બનાવીને લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.
ફૂલો અને રંગોથી બનાવો સુંદર રંગોળી
દિવાળી પર ઘરના આંગણામાં અને દરવાજા પર રંગોળી બનાવવાની પ્રથા ઘણા સમયથી ચાલી આવે છે. અન્ય તહેવારો પર પણ લોકો પોતાના ઘરે રંગોળી જરૂર બનાવે છે. સમયનો અભાવ કહો કે આધુનિકતા આજના સમયમાં લોકો તૈયાર સ્ટિકરવાળી રંગોળી લગાવવા લાગ્યા છે, પરંતુ માં લક્ષ્મીના સ્વાગતમાં ફૂલો અને રંગોથી રંગોળી બનાવવી જોઈએ અને દીવા પ્રગટાવવા જોઈએ.
જરૂર કરો કળશનું સ્થાપન
સનાતન ધર્મમાં પૂજા અને શુભ કાર્યોમાં કળશ અવશ્ય રાખવામાં આવે છે. દિવાળીના દિવસે પણ એક કળશમાં પાણી ભરીને તેના પર કેરીના પાન લગાવવા જોઈએ અને તેના પર શ્રીફળ પણ મૂકવું જોઈએ.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.