હરિયાણાના હિસ્સાર જિલ્લાના મય્યર ગામના લોકો સ્વેચ્છાએ પૈતૃક પદ્ધતિની વિરુદ્ધ જઈ પોતાના ઘરના નામ ઘરની દીકરીઓ અથવા વહુઓના નામે રાખે છે . તેમના નામની તકતીઓ ઘરની બહાર લગાવે છે .
હિસ્સાર શહેરની હદમાં આવેલા આ ગામમાં 1 , 500 ઘર છે અને કુલ 7 , 000ની વસ્તી છે . દરેક ઘર પરિવારની કોઈ મહિલાના નામે જ ઓળખાય છે . ગામના લોકોએ આ પરંપરા બીબીપુર ગામના પૂર્વ સરપંચ સુનીલ જગલાનના લાડો સ્વાભિમાન ઉત્સવથી ચાલુ કરી હતી . સુનીલ જગલાન કહે છે કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વામિત્ત્વ યોજનામાંથી પ્રેરણા મળી હતી .
આ યોજનાએ ગામના લોકોને પોતાના ઘર પોતાના નામે કરાવવાની સરળ સગવડ કર આપી હતી . એ સાથે જ સેલ્ફી વિથ ડોટર નામનું બીજું અભિયાન પણ વડા પ્રધાને ચાલુ કર્યું હતું . જેમાં મહિલા સશક્તીકરણ કરવામાં આવતું હતું . બંને અભિયાનનો સરવાળો કરી મય્યર ગામના લોકોએ ઘરના નામ દીકરીઓ અને વહુઓના નામે રાખવાની પ્રણાલી ચાલુ કરી હતી .
મય્યર ગામની આ પહેલ પછી આસપાસના 10 ગામોએ પણ આ પરંપરા અપનાવી લીધી છે . આજે બધું મળીને 17 , 000 ગામોમાં દીકરીઓ અને વહુઓના નામની તકતીઓ ઘરની બહાર લાગેલી છે . ગામની મહિલાઓ કહે છે કે સદીઓ પછી આ પહેલો સકારાત્મક સુધારો જોઈ એમને અપાર આનંદ થાય છે .