જીપીઆઈડીના ચાર વર્ષમાં 147 કેસો નોંધાયા
GPID એકટનો અમલ થયાના 4 વર્ષ છતાં ભોગ બનનારાઓને ફૂટી કોડી મળી નથી
ગુજરાતમાં એક કા તીન કરવાની લોભામણી લાલચ આપીને રોકાણકારો પાસેથી ઠગો કરોડો રૂપિયાની ઠગાઇ આચરે છે . ચાર વર્ષમાં ગુજરાત પ્રોટેક્શન ઓફ્ ઇન્ટરેસ્ટ ઓફ્ ડિપોઝિટર્સ ( ફઇનાન્સિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ ) અધિનિયમ , 2003 હેઠળ 147 જેટલા કેસ નોંધાયા છે , જેમાં 1 . 10 લાખથી વધુ લોકોને ચિટ ફ્ંડ દ્વારા કુલ રૂ . 768 . 90 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે . જોકે , એકપણ કેસમાં ભોગ બનેલાઓને નાણાં ચૂકવવામાં આવ્યા નથી . આટલુ જ નહીં આજદિન સુધી એકપણ કેસનો નિકાલ પણ થયો નથી . આ અંગે રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જાણવા મળ્યુ છે કે ચાર વર્ષમાં 350 કરોડ રૂપિયાની મિલ્કતો અને પ્રોપર્ટીઓ પોલીસે જપ્ત કરી લીધી છે . પરંતુ કાયદેસરની પ્રકીયામાં વિલંબ થવાના કારણે ભોગ બનનારને ઝડપથી નાણાં ચુકવાતા નથી .
મકરબા ગામમાં અશોક જાડેજાએ એક કા તીનની લાલચ આપીને 1200 કરોડથી પણ વઘારે રૂપિયાનુ રોકાણકારો પાસેથી છેતરપિંડી કરી હતી . જેમાં ગુજરાત ઉપરાંત , રાજસ્થાન , મહારાષ્ટ્ર , એમ . પી , યુ . પી સહિતના 12 રાજયોના હજજારો લોકો પાસે ઠગાઇ આચરી હતી . આ કેસમી તપાસ સીઆઇડી ક્રાઇમે કરી હતી . જેમાં અશોક જાડેજા તેમજ અન્ય આરોપીઓની જમીનો તેમજ અન્ય મિલ્કતો કાયદાકીય રીતે જપ્ત કરી હતી . ત્યારબાદ અભય ગાંધીએ પણ રોકાણકારો પાસે 500 કરોડથી પણ વધારેનુ રોકાણ કરાવીને લોકોને રાતા પાણીએ રોવડાવ્યા હતા . તે વિદેશ ભાગી ગયો હતો . તેની ધરપકડ કરીને કરોડો રૂપિયાની મિલ્કતો જપ્ત કરી લીધી હતી . આ ઉપરાંત ઇમ્ત સનના માલિક ઇમ્તીયાઝ સૈયદ , નિવુત એએસઆઇ નિઝામમુદ્દીન સૈયદના પુત્ર રાજાએ પણ કરોડો રૂપિયાની રોકાણકારો પાસેથી ઉઘરાવીને ઉઠામણુ કરીને વિદેશમાં ઐયાસી કરી આવ્યો હતો . તેમજ આર્ચર કેર નામની થલતેજમાં ટાઇટેનીયમ પ્લેટેનીયમ કોમ્પલેક્ષના સંચાલક વિનય શાહ અને ભાર્ગવી શાહ સહિતના ઠગોએ લોકો પાસેથી 500 કરોડ ઉઘરાવી લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરી હતી . જેમાં વિનય શાહની તો નેપાળમાં એક યુવતી સાથે ધરપકડ થઇ હતી . આ ઉપરાંત પોન્ઝી સ્કીમો બહાર પાડીને ઝહીર રાણા નામના કુખ્યાત વ્હાઇટ કોલર ગુનેગારે તો લોકોને છેતરપિંડી કરવામા માહેર થઇ ગયો હતો . તેને એક બે વાર નહી પરંતુ અનેકવાર કરોડો રૂપિયાનો લોકોને ચુનો ચોપડયો હતો . તેમ છતાં રોકાણકારો તેની સ્કીમોમાં રોકાણ કરતાં હતા . આવા અનેક ભેજાબાજ ઠગોએ લોકો સાથે ઠગાઇ આચરતા હતા છતાં દર છ મહિને આવા કૌભાંડો થાય છે . તેમ છતાં રોકાણકારો પણ વધારે પૈસા કમાવવાની લાલચમાં પોતાની મુડી પણ ગુમાવી દે છે .
GPID એકટ હેઠળ 2013થી કાયદો બન્યો હોવાનુ જાણવા મળ્યુ છે . 2017થી તેનો અમલવારી શરૂ કરવામા આવી હતી . આજે ચાર વર્ષ એટલે કે 2021 સુધી ભોગ બનનારા 1 . 10 લાખ લોકોને હજુ પણ એક રૂપિયો મળ્યો નથી . કાયદાકીય ગુંચના કારણે ભોગ બનનારા લોકો નિરાશા સાંપડી છે .
મહારાષ્ટ્રમાં ભોગ બનનારાને પૈસા મળે છે , પરંતુ ગુજરાતના રોકાણકારોને નથી મળતા
મહારાષ્ટ્રમાં ચિટરો સાથે ભોગ બનનારા લોકોને તેમના પૈસા પરત મળે છે . જેના કારણે ગુજરાત પોલીસના કેટલાક પોલીસ અધિકારીઓને ટ્રેનીંગ માટે મોકલ્યા હતા . તેમ છતાં હજુ પણ રોકાણકારો જૈસે થી ની પરિસ્થિતીમાં જ છે .