PM નરેન્દ્ર મોદી 16 નવેમ્બરે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું (Purvanchal Expressway) ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉદ્ઘાટન પહેલા વિમાનોને રવિવારે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર લેન્ડ કરવામાં આવ્યા હતા. આકાશને ચીરતા તેજ ગર્જના સાથે જ્યારે ભારે ભરખમ C-130 સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ અને પછી એક ફાઇટર પ્લેન જેવુ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતર્યું, ત્યારે બધાની નજર ત્યાં સ્થિર થઈ ગઈ.
સંરક્ષણના સૂત્રોના જણાવ્યા અનુસાર, 16 નવેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં વાયુસેનાના સુખોઈ-30 એમકેઆઈ, સી-130જે સુપર હર્ક્યુલસ જેવા વિમાનો ઉતરશે. એક્સપ્રેસ વે પર ટચ એન્ડ ગો ઓપરેશન દરમિયાન, ઘણા સુખોઈ અને રાફેલ ફાઈટર એરક્રાફ્ટ લેન્ડ થતાની સાથે જ ટેક ઓફ કરશે. ફાઈટર પ્લેનને લેન્ડિંગ અને ટેક ઓફ કરવામાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે તે માટે યુદ્ધના ધોરણે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘણી વખત તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.
#WATCH | IAF fighter aircrafts conduct trial run on airstrip ahead of Purvanchal Expressway inauguration, in Sultanpur
— ANI UP (@ANINewsUP) November 14, 2021
Prime Minister Narendra Modi will inaugurate the expressway on Nov 16. pic.twitter.com/x2rY7wk4LG
PM મોદી 16 નવેમ્બરે 42 હજાર કરોડના ખર્ચે બનેલા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ એક્સપ્રેસ વે પૂર્વાંચલના ઘણા શહેરોથી લખનૌ સુધીના પ્રવાસના સમયમાં ઘણો ઘટાડો કરશે. પેઇન્ટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે જેથી કરીને પીએમ મોદી આ એક્સપ્રેસ વેનું ઉદઘાટન કરી શકે.
એરસ્ટ્રીપથી નીચે પ્લેટફોર્મ પર ઉતરવા માટે આકર્ષક સીડી બનાવવામાં આવી છે. સ્ટ્રીપની બંને બાજુ સર્વિસ લેન બનાવવામાં આવી રહી છે. વડાપ્રધાન તરફથી એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન માટે પીએમઓ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ યુપીડીએની સાથે વહીવટીતંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે 354 કિલોમીટર લાંબો પૂર્વાંચલ એક્સપ્રેસ વે હાલમાં ગાઝીપુર અને લખનૌ વચ્ચે બની રહ્યો છે, પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેને બલિયા સુધી વિસ્તાર કરવાના નિર્દેશ આપ્યા છે.