કન્ટ્રોલર અને ઓડિટર જનરલના પ્રથમ ઓડિટ દિવસના કાર્યક્રમમાં પીએમનું સંબોધન
વડા પ્રધાને દિલ્હીના કેગના વડામથકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે , ડેટા માહિતી છે અનેતે ભવિષ્યમાં ઇતિહાસ નક્કી કરશે . ભારતના કન્ટ્રોલર અને ઓડિટર જનરલ ના પ્રથમ ઓડિટ દિવસના કાર્યક્રમમાં બોલતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે , ઇતિહાસને વાર્તાઓના માધ્યમથી લખવામાં આવ્યો છે . પણ 21મી સદીમાં ડેટા જ માહિતી છે અને આવનારા સમયમાં આપણા ઇતિહાસને ડેટાનો ઉપયોગ કરીને જોવાશે અને સમજવામાં આવશે . ભવિષ્યમાં ડેટા જ ઇતિહાસને નિર્ધારિત કરશે .
તેમણે જણાવ્યંુ હતું કે , કોન્ટેક્ટ લેસ કસ્ટમ્સ ડયૂટી , ઓટોમેટિક ન્યૂવલ્સ , ફેસલેસ એસેસમેન્ટ અને સર્વિસ ડિલિવરી માટે ઓનલાઇન અરજી જેવા સુધારાનો ઉલ્લેખ કર્યો હતો , કે જેને પરિણામે અનાવશ્યક સરકારી હસ્તક્ષેપ સમાપ્ત થઈ ગયો છે . તેમણે જણાવ્યું હતું કે , જ્યારે સિસ્ટમમાં પારદર્શિતા લાવવામાં આવે છે ત્યારે પરિણામ જોવા મળે છે .
વિશ્વમાં સ્ટાર્ટ – અપ્સ માટે ભારત ત્રીજા ક્રમનું સૌથી મોટું ઇકોસિસ્ટમ છે અને પહેલેથી જ 50 યુનિકોર્ન છે . તેમણે જણાવ્યું હતું કે , નેશનલ ઓડિટર , સીએજી દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો , ડેટા અને ફાઇલો સરકારી વિભાગો દ્વારા આપવી જોઈએ . વડા પ્રધાને દિલ્હીના કેગના વડામથકે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું .
વડા પ્રધાને કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું હતું કે , એક સમય હતો કે જ્યારે દેશમાં ઓડિટને આશંકા , એક ભય સાથે જોવામાં આવતું હતું . કેગ વિરુદ્ધ સરકારો , એવી આપણી વ્યવસ્થાની સામાન્ય માનસિકતા બની ગઈ હતી . પણ આજે આ માનસિકતામાં બદલાવ આવ્યો છે . આજે એડિટને વેલ્યૂ એડિશનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે .