સુંદર વાળ અને ચમકતી ત્વચા કોને પસંદ નથી હોતી? પરંતુ કેટલીકવાર પરફેક્ટ સ્કિન કેર રૂટિન ફોલો કર્યા પછી પણ વાળને બ્યુટીફાય કરવું અને સ્કિન પર ગ્લો જાળવી રાખવો ખૂબ જ મુશ્કેલ કામ બની જાય છે. ખાસ કરીને ઉનાળામાં સ્કીન અને વાળને લગતી ઘણી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં, તમારી ત્વચાની સંભાળમાં તલનો સમાવેશ કરીને, તમે ન માત્ર ત્વચાને સોફ્ટ અને ગ્લોઇંગ બનાવી શકો છો, પરંતુ તમે એક ચપટીમાં વાળની બધી સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો.
સફેદ તલ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોવાની સાથે વિટામિન ‘K’ અને વિટામિન ‘E’નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉપરાંત, તલના તેલમાં હાજર લિનોલીક એસિડ અને ઓલિક એસિડ ત્વચા અને વાળ માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. તેથી જ અમે તમારી સાથે ત્વચા અને વાળ પર તલના ઉપયોગ અને તેના કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ફેસ પર આવશે નિખાર
સ્કીન કેરમાં તલના તેલથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરીને, તમે સરળતાથી ત્વચાને સુધારી શકો છો. તેના માટે મુલતાની માટીમાં 1 ચપટી હળદર અને તલનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી સ્વચ્છ પાણીથી ફેસ વોશ કરી લો. તેનાથી સ્કીનની ડેડ સ્કિન સેલ્સ ખતમ થઈ જશે અને તમારી ત્વચા ચમકવા લાગશે.
સ્ક્રબ વડે સોફ્ટનેસ મેળવો
ત્વચાને કોમળ અને મુલાયમ બનાવવા માટે તલના તેલનો ઉપયોગ સારો વિકલ્પ છે. આ માટે ચહેરા પર તલનું તેલ લગાવો. પાંચ મિનિટ પછી ચોખાના પાઉડરથી ચહેરો સ્ક્રબ કરો અને પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈને કોરો કરી લેવો.
ડ્રાઈનેસ દૂર થશે
ઉનાળામાં, સ્કીન ઘણીવાર ડ્રાઈ અને ડેડ અનુભવવા લાગે છે. આવી સ્થિતિમાં, તલનો ફેસ માસ્ક સ્કીન પર ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે દૂધમાં પલાળેલા તલને પીસી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. થોડી વાર પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો.
વાળ ખરવાથી છુટકારો મેળવો
અઠવાડિયામાં 2-3 વખત તલના તેલથી વાળમાં તેલ લગાવવાથી વાળ ખરતા સરળતાથી ઘટાડી શકાય છે. આ માટે તલના તેલમાં એલોવેરા જેલ મિક્સ કરીને વાળમાં લગાવો અને એક કલાક પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.
નહિ થાય વાળ સફેદ
દરરોજ રાત્રે સૂતા પહેલા વાળમાં તલના તેલથી માલિશ કરવાથી તમે સફેદ વાળની સમસ્યાને પણ ચપટીમાં દૂર કરી શકો છો. હૂંફાળા તલનું તેલ વાળમાં લગાવવાથી સફેદ વાળ ઓછા થવા લાગે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)