ચહેરાને સાફ અને ગ્લોઇંગ બનાવવા માટે ગુલાબ જળ લગાવવામાં આવે છે. ગુલાબ જળ લગાવવાથી ચહેરો ફૂલની જેમ ખીલી જાય છે. પરંતુ આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે ગુલાબ જળ માત્ર ચહેરા જ નહીં વાળ માટે પણ ખુબ ફાયદાકારક છે. તેને લગાવવાથી વાળ વધુ સિલ્કી, શાઇની અને મજબૂત બને છે. આ સિવાય વાળોમાં પણ ગુલાબ જળ લગાવવાના અન્ય ફાયદા છે. આવો તેના વિશે જાણીએ…
વાળમાં ગુલાબ જળ લગાવવાથી તમારા સ્કેલ્પ અને વાળને ઇન્ફેક્શનથી બચાવે છે. જો તમારે ડેન્ડ્રફની સમસ્યા છે તો પણ તમે ગુલાબ જળનો ઉપયોગ કરે છે. તે ડેન્ડ્રફને હટાવી વાળને મજબૂત કરે છે.
ગુલાબ જળમાં ખુબ સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જેના કારણે સ્કેલ્પને ઓક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. આ એવી પ્રક્રિયા હોય છે જેમાં બોડીના ઓક્સીજનની સાથે કેમિકલ રિએક્શન હોય છે.
જો તમારા વાળ ડ્રાઇનેસને કારણે ખુબ વધુ ખરી રહ્યાં છે તો તે માટે તમે ગુલાબ જળનો ઉપયોગ કરી શકો છે. તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે.
સ્કેલ્પમાં ગુલાબ જળ લગાવવાથી બ્લડ સર્કુલેશન સારૂ થઈ જાય છે, જેના કારણે બાળનો ગ્રોથ સારો થાય છે. જો તમે વાળ લાંબા કરવા ઈચ્છો છો તો તે માટે ગુલાબ જળનો ઉપયોગ કરી શકો છો.
ગુલાબ જળને તમે શેમ્પૂ કર્યાના એક કલાક પહેલા લગાવી શકો છો. તમે ગુલાબ જળમાં લીંબુનો રસ નાખીને પણ લગાવી શકો છો. ગુલાબ જળમાં વિટામિન ઈ ભેળવીને પણ લગાવી શકાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)