fbpx
Friday, March 29, 2024

હોળીની ભાંગ વાળી ઠંડાઈમાં એવું શું હોય છે કે લોકો હસી હસીને ‘પાગલ’ થવા લાગે છે?

હોળીએ રંગોનો તહેવાર છે, પરંતુ જ્યારે તેમાં ભાંગની વાત આવે છે ત્યારે વ્યક્તિ જરૂરથી ખુશ થઈ જાય છે. ત્યારે હોળી પરની ભાંગ વાળી ઠંડાઈ પીધા પછી લોકો ગીતો પર કલાકો સુધી નાચ્યા કરે છે, તે પણ થાક્યા વિના. તેઓ બધુ જ ભૂલી જાય છે અને બેફિકર બની જાય છે. હોળીમાં ભાંગને ઠંડાઈમાં કે લાડુમાં નાખીને ખાવાની પરંપરા સદીઓ જૂની છે.

આની પાછળ પણ ઘણી દલીલો આપવામાં આવી છે.

પરંતુ મોટો પ્રશ્ન એ છે કે ભાંગમાં એવું તો શું હોય છે જે પીધા પછી લોકોને બેફિકર થઈ જાય છે તેમજ અવાર નવાર હસવા લાગે છે અને નાચવા મજબૂર થઈ જાય છે. આને સમજતા પહેલા, ચાલો જાણીએ કે ભાંગના કેટલા સ્વરૂપો છે. નિષ્ણાતો કહે છે, ભાંગ ઘણા નામોથી ઓળખાય છે, કેનાબીસ, ભાંગ અને વિડ. એટલું જ નહીં આ ઝાડમાંથી ગાંજો પણ તૈયાર કરવામાં આવે છે.

ભાંગ કેવી રીતે લોકોને ખુશ કરી દે છે ?

ભાંગ ખાધા-પીધા પછી જે ખુશી મળે છે તેની પાછળ ડોપામાઈન હોર્મોન છે. આ હોર્મોન શરીરમાં પહોંચતાની સાથે જ બહાર નીકળવાનું શરૂ કરી દે છે. આ હોર્મોન વ્યક્તિના મૂડને નિયંત્રિત કરવાનું કામ કરે છે અને વ્યક્તિ ખુશ દેખાવા લાગે છે. આ ડોપામાઈન હોર્મોનની અસર છે. એટલા માટે તેને હેપ્પી હોર્મોન પણ કહેવામાં આવે છે.

ભાંગનું સેવન કર્યા પછી હોર્મોનનું સ્તર વધે છે, પરંતુ એ ધ્યાનમાં રાખવાની વાત છે કે તેનો વધુ પડતો નશો જીવલેણ પણ છે. જો કે, તે લીધા પછી, વ્યક્તિ એક અલગ પ્રકારની ખુશી અનુભવે છે. આ સુખની ઈચ્છામાં ફરી ફરીને લોકો વ્યસની બની જાય છે.

લોકો થાક્યા વિના કલાકો સુધી કેવી રીતે કરે છે ડાન્સ ?

નિષ્ણાતો કહે છે કે, મોટાભાગના લોકો સિગારેટ અથવા બીડીમાં ગાંજાના ઉપયોગ કરે છે. શ્વાસ લીધા પછી ફેફસાં તેનો ધુમાડો થોડી સેકન્ડોમાં શોષી લે છે અને તેની અસર મગજ સુધી પહોંચે છે. પરિણામ દેખાવા લાગે છે. જ્યારે, કેટલાક ઠંડાઈમાં ભાંગ લે છે. ત્યારે તેની અસર થતા સરેરાશ 30 મિનિટથી 1 કલાકનો સમય લાગી શકે છે. તે મગજને વધુ પડતી સક્રિય બનાવે છે અને વિચારવાની અને સમજવાની ક્ષમતા ઘટી જાય છે. તેથી જ ઘણી વખત હોળીમાં ગાંજો લીધા પછી, તેઓ થાક્યા વિના કલાકો સુધી ડાન્સ કરે છે. તેને વારંવાર લેવાથી મગજ પર ખરાબ અસર પડે છે.

જો તમે ખૂબ ભાંગ લો છો તો.. !

વધુ પડતો ભાંગ લેવાથી મગજની કાર્ય કરવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે. અગવડતા વધે છે. બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. આંખો લાલ થઈ જાય છે. શ્વાસ સંબંધી સમસ્યાઓ વધી શકે છે.

ઘણી વખત લોકો દલીલ કરે છે કે ભાંગનો ઉપયોગ દવામાં થાય છે અને તે ખરાબ અસર છોડતો નથી. આ વાત સંપૂર્ણપણે સાચી નથી. ભાંગનો ઉપયોગ દવાઓમાં થાય છે, પરંતુ ખૂબ ઓછી માત્રામાં. તે એટલી માત્રામાં મિશ્ર કરવામાં આવે છે કે તેની અસર હકારાત્મક છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, કાનના દુખાવા અને ઉધરસને દૂર કરવા માટે કેનાબીસનો ઉપયોગ દવામાં થાય છે. આ સિવાય તેનો ઉપયોગ એકાગ્રતા અને યાદશક્તિ વધારવા માટે થાય છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles