હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખુબ મહત્વ છે. ઘર બનાવવાથી લઇ એમની સજાવટ સુધી બધી વસ્તુ પર વાસ્તુનું ધ્યાન આપવામાં આવે છે. ઘરમાં બુટ ચપ્પલ રાખવાથી લઇ કપડાં રાખવા સુધી વાસ્તુનું મહત્વ હોય છે. ઘરમાં આ વાત સાંભળતા આવ્યા છે કે બુટ ચપ્પલને ઉલ્ટા ન મુકવા જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. આનાથી ઘણા પ્રકારની કહેલ સામે આવે છે.
વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં બુટ ચપ્પલ રાખવામાં નિયમ પણ છે. આઓ આજે અમે તમને પંડિત ઇન્દ્રમણિ ઘસ્યાંલ મુજબ જણાવીએ કે બુટ ચપ્પલ ઉતારતી અને રાખતી સમયે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.
1.બુટ અને ચપ્પલ ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખોઃ ઘણીવાર લોકો ઘરમાં ઉતાવળમાં બધે જ બુટ અને ચપ્પલ ઉતારી દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બુટ અને ચપ્પલ ઉત્તર કે પૂર્વ દિશામાં ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. ઉત્તર કે પૂર્વ દિશામાં બુટ અને ચપ્પલ ઉતારવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે. તેનાથી ઘરની આર્થિક સ્થિતિ નબળી પડે છે. તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
2. બુટ અને ચપ્પલ રાખવાની સાચી દિશાઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બુટ અને ચપ્પલનો કબાટ હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. બહારથી આવતી વખતે તમારા બુટ અને ચપ્પલ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જ ઉતારો. એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના મુખ્ય દરવાજા પર બુટ અને ચપ્પલ ન ઉતારવા જોઈએ.
3. નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે: વાસ્તુ શાસ્ત્રો અનુસાર ઘરમાં ક્યારેય પણ બુટ અને ચપ્પલ ઉંધા ન રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. તેનાથી પરિવારની સુખ-શાંતિમાં ખલેલ પહોંચે છે. એટલા માટે બુટ અને ચપ્પલને ઉંધા ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)