fbpx
Saturday, April 27, 2024

હોળીના દિવસે કેમ પીવાય છે ભાંગ, જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ

હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 17 માર્ચે ઉજવવામાં આવશે. હોળીનો તહેવાર બુરાઇ પર સારાઇની જીતનું પ્રતીક છે. દર વર્ષે આ દિવસે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, રંગો સાથે રમે છે, નૃત્ય કરે છે, સ્વાદિષ્ટ વાનગીઓ ખાય છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. બીજી તરફ હોળીનો તહેવાર ભાંગ વગર અધૂરો ગણાય છે. આ દરમિયાન ભાંગનું પણ સેવન કરવામાં આવે છે. લોકો આ દિવસે અલગ અલગ રીતે ભાંગ આરોગે છે. આમાં લસ્સી, પકોડા, થંડાઈ અને ગુજિયાની સાથે પણ લોકો ભાંગ પીવાનું પસંદ કરે છે.

ભાંગનું ધાર્મિક મહત્વ

એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને શિવે ગળામાં ઉતારવા દીધું ન હતું. આ ઝેર ખૂબ જ ગરમ હતું. આ કારણે શિવને ગરમી લાગવા લાગી. શિવ કૈલાસ પર્વત પર ગયા. ઝેરની ગરમી ઓછી કરવા માટે શિવે ભાંગનું સેવન કર્યું. ભાંગને ઠંડક આપનાર માનવામાં આવે છે. ત્યારથી ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવની પૂજા દરમિયાન પણ ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભાંગ વિના શિવની પૂજા અધૂરી છે. કહેવાય છે કે શિવ પૂજામાં ભાંગ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ઉપરાંત ભાંગ બનાવટમાંં ધતુરા અને બિલીના પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

હોળીના દિવસે ભાંગ કેમ પીવામાં આવે છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોળીના દિવસે ભગવાન શિવ અને વિષ્ણુ મિત્રતાના પ્રતીક તરીકે ભાંગના સેવન કરે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદને મારવાનો પ્રયાસ કરનાર હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું. પરંતુ હિરણ્યકશિપુને માર્યા પછી તે ગુસ્સે થયા હતા. તેને શાંત કરવા માટે ભગવાન શિવે શરભનો અવતાર લીધો. હોળીના દિવસે ભાંગના સેવનનું એક કારણ આ પણ માનવામાં આવે છે. તેનું પ્રસાદ તરીકે સેવન કરવામાં આવે છે. આ સિવાય બીજી ઘણી વાર્તાઓ પણ લોકપ્રિય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles