fbpx
Friday, April 26, 2024

હોળી ઉત્સવઃ આ રીતે કરો હોળીની પૂજા, ભગવાનની કૃપા જરૂર પ્રાપ્ત થશે !

દર વર્ષે ફાગણ સુદ પૂનમના અવસરે હર્ષોલ્લાસ સાથે હોળીનો તહેવાર ઉજવાય છે. જે વ્યક્તિને અનેકવિધ પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. અલબત્, આ ફળદાયી દિવસે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે પૂજા વિધિ-વિધાન અનુસાર થાય. ત્યારે આવો, આજે હોળી પ્રાગટ્ય સમયની પૂજાવિધિ વિશે જાણીએ.

ભક્તો ફાગણી પૂનમના અવસરે આસ્થા સાથે હોળીની પૂજા કરતા જ હોય છે. પરંતુ, જો વિશેષ વિધિ સાથે આ પૂજનવિધિ સંપન્ન કરવામાં આવે તો વ્યક્તિને ચોક્કસપણે ભાગ્યોદયના આશિષ પ્રાપ્ત થતા હોય છે. ત્યારે સર્વ પ્રથમ એ જાણીએ કે આ પૂજામાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડતી હોય છે. આ વખતે હોળી 17 માર્ચ, ગુરુવારના રોજ છે.

પૂજન સામગ્રી

⦁ 5 કે 7 પ્રકારના ધાન્ય (જેમ કે ઘઉં અને નવા થયેલા પાકો અડદ, મગ, ચણા, જવ, ચોખા, મસૂર)

⦁ પૂજાના પુષ્પ અને 1 ફૂલહાર

⦁ કુમકુમ

⦁ નાડાછડી

⦁ આખી હળદર

⦁ મગ

⦁ હારડા (પતાશા)

⦁ ગુલાલ

⦁ મીઠાઇ

⦁ ફળ

⦁ ખજૂર, ધાણી

⦁ નારિયેળ

⦁ એક કળશ જળ

પૂજન વિધિ

⦁ સૌથી પહેલા હોલિકા પૂજન માટે પૂર્વ કે ઉત્તર દિશા તરફ આપનું મુખ રહે તે રીતે બેસવું.

⦁ આપની આસપાસ પાણીનો છંટકાવ કરવો.

⦁ પૂજનનો પ્રારંભ કરતા પહેલાં પોતાનું નામ, પિતાનું નામ, અને ગોત્રનું નામ લઇને અક્ષત લઇને શ્રીગણેશનું સ્મરણ કરીને આ અક્ષત હોળી પર અર્પણ કરો.

⦁ નૃસિંહ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા કંકુ ચોખાથી હોળીની પૂજા કરો.

⦁ ત્યારબાદ 5 કે 7 પ્રકારના ધાન્ય હોળીમાં અર્પણ કરો.

⦁ સભ્યોના મસ્તક પરથી નારિયેળ ઉતારીને હોળીમાં પધરાવવું. માન્યતા અનુસાર આ રીતે નારિયેળ પધરાવવાથી પરિવારજનોના સઘળા દુઃખ દૂર થાય છે.

⦁ પૂજન બાદ હોળીને જળ અર્પણ કરતા કરતા તેની પ્રદક્ષિણા કરવી જોઈએ. હોળીની 3 કે 7 પ્રદક્ષિણા કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.

⦁ પ્રદક્ષિણા પૂર્ણ થયા બાદ બે હાથ જોડી પ્રાર્થના કરો. કે આપનું આવનારું વર્ષ સકારાત્મક ઊર્જા અને શુભત્વથી પરિપૂર્ણ રહે.

⦁ હોલિકા દહન સમયે હાજર દરેકને કુમકુમનું તિલક કરીને શુભકામનાઓ આપો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles