બ્લડ પ્રેશર : વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટો હૃદય સંબંધિત રોગોને આપણાથી દૂર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પાઈનેપલ જ્યુસ એમાં ભરપૂર હોય છે માટે દરરોજ બપોરે એક ગ્લાસ પાઈનેપલ જ્યુસ પીવો.
વજનમાં ઘટાડો કરે છે : ઉનાળાની ઋતુ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. વર્કઆઉટ કે રનિંગ સિવાય ડાયટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે સવારના નાસ્તાના લગભગ બે કલાક પછી અનાનસનો જ્યૂસ પીવાથી વજન ઘટાડી શકો છો.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો : અનાનસના રસની અન્ય વિશેષતા એ છે કે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અસરકારક છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ અને આ આવશ્યક વિટામિન પાઈનેપલમાં યોગ્ય માત્રામાં હોય છે.
હાડકાંને મજબૂત કરે : અનાનસનો જ્યુસ પણ હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. ખરેખર, અનાનસમાં મેંગેનીઝ અને કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી હાડકાં જ નહીં પણ દાંત પણ મજબૂત બને છે.
પાચન તંત્ર : જે લોકો વારંવાર પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે, તેઓ અનાનસનો જ્યુસ પીને તેમના પાચનતંત્રને મજબૂત બનાવી શકે છે. વાસ્તવમાં તેમાં હાજર ફાઈબર પેટના સ્વાસ્થ્યને જાળવવામાં અસરકારક છે.