ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ રીતે સૂર્યને એક રાશિ ચક્ર પૂરું કરતા લગભગ 1 વર્ષનો સમય લાગે છે. સૂર્યના રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે.
સૂર્ય વર્તમાનમાં વૃષભ રાશિમાં વિરાજમાન છે અને 15 જૂનના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં 32 દિવસ સુધી રહેશે. 17 જુલાઈએ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જાણો સૂર્યના મિથુન રાશિમાં પ્રવેશથી કઈ રાશિઓ પર વધુ પ્રભાવ પડશે.
સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા ઘરમાં શુભ અને માંગલિક કાર્યક્રમો થઈ શકે છે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે. વેપારીઓને ફાયદો થશે.
ગ્રહોના રાજા સૂર્યનું ગોચર કન્યા રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમને નોકરી સંબંધિત સારા સમાચાર મળી શકે છે. વેપાર કરતા લોકોને ફાયદો થશે. વેપારમાં વિસ્તાર કરવાની તક મળશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. ઓફિસમાં તમારી પ્રશંસા થઈ શકે છે.
સૂર્યનું ગોચર કુંભ રાશિના લોકો માટે આર્થિક પ્રગતિ કરાવશે. આ સમય દરમિયાન તમને ઓફિસમાં પ્રમોશનની સાથે આવકમાં પણ વધારો થઈ શકે છે. વ્યાપારીઓ માટે સમય સારો રહેવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓને સારા સમાચાર મળશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)