fbpx
Monday, May 20, 2024

વાસ્તુશાસ્ત્રઃ સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી થાય છે લાભ

સનાતન ધર્મમાં દેવી દેવતાઓની પૂજા દીવો પ્રગટાવ્યા વગર અધૂરી માનવામાં આવે છે. દરેક પૂજા પાઠ અને ધાર્મિક અનુષ્ઠાનમાં દીવો પ્રગટાવવું ખુબ મહત્વપૂર્ણ છે. પૂજા ઘર હોય કે મંદિર સાંજ સવાર દીવો પ્રગટાવી ભગવાનની આરતી કરવામાં આવે છે. સામાન્ય રીતે ઘણા લોકોને મુખ્ય દ્વાર પર દિપક પ્રગટાવતા જોવામાં આવે છે. એવું કરવાથી મનુષ્યને ઘણા લાભ પ્રાપ્ત થાય છે.

દીવો પ્રગટાવવાનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે વ્યક્તિ પોતાના ઘરમાં નિયમિતપણે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવે છે તેના જીવનમાંથી અંધકાર જ નહિ, પરંતુ ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર નિયમિત રીતે દીવો પ્રગટાવવાથી જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાં લાગેલ વાસ્તુ દોષ પણ દૂર થઈ શકે છે.

મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાના લાભ

ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો સંચાર વધે છે. એવું માનવામાં આવે છે કે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્‍મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં વાસ કરે છે. જેના કારણે તમારા જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી.

કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો

ધાર્મિક ગ્રંથો અનુસાર જે લોકો સાંજના સમયે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવે છે, તેમની કુંડળીમાં હાજર રાહુનો અશુભ પ્રભાવ ઓછો થઈ શકે છે. મુખ્ય દરવાજા સિવાય જો તમે સાંજના સમયે તુલસી પાસે દીવો કરો છો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને કોઈપણ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. સાંજે 5 થી 8 ની વચ્ચે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો ખૂબ જ ફાયદાકારક છે. જો તમે આ સાથે ઘરની બહાર નીકળો છો, તો જમણી બાજુએ દીવો પ્રગટાવવો જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles