fbpx
Monday, May 20, 2024

પરમા એકદાશીનું વ્રત રાખવાનું સૌભગ્ય ત્રણ વર્ષમાં એકવાર પ્રાપ્ત થાય છે

અધિક માસની પરમા એકદાશીનું વ્રત 3 વર્ષ બાદ આજે છે. ઘણી જગ્યાઓ પર આ એકદાશી ગઈકાલે એટલે 11 ઓગસ્ટના રોજ રાખવામાં આવી હતી. આ વ્રત રાખવાનું સૌભાગ્ય દર ત્રણ વર્ષ પર જ મળે છે. પરમા એકદાશી વ્રતનું મહત્વ તમે એની કથાથી જાણી શકો છો. જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે સુમેધા નામક બ્રાહ્મણે અને એમની પત્ની કૌડિલ્ય ઋષિના સુજાવ પર પરમા એકદાશી વ્રત વિધિપૂર્વક કરે છે, જેના ફળ સ્વરૂપે એમને ધન અને વૈભવ મળે છે. એમના પાપ નષ્ટ થાય છે, જીવનના અંતમાં સદ્દગતિ પ્રાપ્ત થાય છે.

દર 3 વર્ષે હિન્દૂ કેલેન્ડરમાં વધુ માસ જોડાય છે. એની કૃષ્ણ પક્ષની એકદાશી પરમા એકદાશી કહેવાય છ. અધિક માસની બે એકાદશીને જોડતા વર્ષમાં 24ની જગ્યાએ 26 એકાદશી હોય છે.

પરમા એકાદશી 2023 માટે શુભ મુહૂર્ત

પરમા એકાદશીની તિથિ: અધિક માસ કૃષ્ણ એકાદશી 11 ઓગસ્ટ, સવારે 05:06 થી આજે સવારે 08:03 સુધી.

પરમા એકાદશીનું પૂજા મુહૂર્ત: સવારે 07:28 થી 09:07 સુધી

પરમા એકાદશીના પારણાનો સમય: આવતીકાલે સવારે 05:49 થી 08:19 વચ્ચે.

દ્વાદશી તિથિ: આવતીકાલે, સવારે 08:19 સુધી માન્ય.

પરમા એકાદશી વ્રતની પૂજા પદ્ધતિ

જેમણે વ્રત રાખવાનું હોય તેમણે સવારે સ્નાન કરીને હાથમાં જળ અને ફૂલ લઈને પરમા એકાદશીની પૂજાનો સંકલ્પ કરવો. ત્યારબાદ તેઓએ શુભ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. પૂજામાં તમારે ફૂલ, ફળ, પંચગવ્ય અથવા પંચામૃત, તુલસીની દાળ, અક્ષત, હળદર, પાન, સોપારી, રોલી, ચંદન વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને પરમ એકાદશી વ્રત કથા સાંભળો.

દિવસભર ફળો પર રહો અને રાત્રે જાગરણ કરો. 13મી ઓગસ્ટે સૂર્યોદય પછી સ્નાન કરો અને ધ્યાન કરો અને ગરીબ બ્રાહ્મણોને ભોજન કરાવો. દાન કરો અને દક્ષિણા આપો. પછી ભોજન જાતે કરી પારણા કરો.

એકાદશી વ્રતના દેવતા કોણ છે?

દર માસમાં બે એકાદશી વ્રત હોય છે. ભગવાન વિષ્ણુ એકાદશી વ્રતના દેવતા છે. આ દિવસે શ્રી હરિની પૂજા કરવામાં આવે છે. એકાદશી દેવીની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુથી થઈ હતી. ભગવાન વિષ્ણુની કૃપાથી પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે. પરમા એકાદશી પછી શ્રાવણ પુત્રદા એકાદશી આવશે. આ વર્ષે શ્રાવણ પુત્રદા એકાદશી 27 ઓગસ્ટે છે. આ વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles