fbpx
Monday, April 29, 2024

શુક્રવારના દિવસે કરેલા આ ઉપાય બદલી નાખશે તમારું જીવન

હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે વ્રત રાખી પૂજા કરવાથી લોકોના દુઃખ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે. શુક્રવારના કેટલાક ઉપાય છે, જે તમારી મુશ્કેલીઓથી છુટકારો અપાવી શકે છે અને તિજોરી ભરેલી રાખી શકે છે. આજે જાણીએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને મોગરા તેમજ અત્તર અર્પિત કરવાથી લોકોના બધા દુઃખ દૂર થાય છે. મોગરાનું અત્તર માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. ધનની દેવીને આ અત્તર અર્પિત કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને કૃપા વરસાવે છે. આ ઉપાય કરવાથી કરિયરમાં પ્રગતિ થાય છે, ઘરમાં સુખ શાંતિ રહે છે અને ધન-ધાન્યની કમી દૂર થાય છે.

જો તમે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો છો તો તેમને ખીર ચઢાવો. ખીર દેવી લક્ષ્મીની પ્રિય છે અને તેઓ તેનાથી પ્રસન્ન થાય છે અને હંમેશા તમારા પર તેમના આશીર્વાદ રાખે છે. તમે આ ખીરનો પ્રસાદ વહેંચી શકો છો અને તેને ચઢાવ્યા પછી તેનું સેવન પણ કરી શકો છો.

જ્યોતિષ અનુસાર, પરિણીત લોકોએ શુક્રવારે દેવી લક્ષ્મીને સોળ શ્રુંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. એટલું જ નહીં શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું પણ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે.

આર્થિક રીતે નબળા લોકોએ ગોમતી ચક્રની પૂજા કરી કરીને શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર બાંધવું જોઈએ. તેનાથી ઘરમાંથી ગરીબી દૂર થશે. આ સિવાય જો વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો તેને બળવાન બનાવવા માટે રામાયણના લંકાકાંડનો પાઠ કરો. આ શુક્રને મજબૂત બનાવે છે.

શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને ગુલાબનું અત્તર અથવા કેવડાનું અત્તર અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી લોકોને માનસિક સમસ્યાઓથી રાહત મળી શકે છે. આટલું જ નહીં, ધનની દેવીને ચંદનનું અત્તર ચઢાવવાથી લોકોનું સૌભાગ્ય વધી શકે છે. આ સિવાય રોજ ઘરમાં અત્તર રાખવાથી કામ અને ધંધામાં વધારો થાય છે.

જ્યોતિષ અનુસાર જે વ્યક્તિ શુક્રવારના દિવસે કાળી કીડીને ખાવા માટે ખાંડ આપે છે, તેના તમામ અટકેલા મહત્વપૂર્ણ કામ પૂર્ણ થવા લાગે છે. જો તમારું કોઈ મહત્વપૂર્ણ કામ ઘણા દિવસો સુધી અટકેલું હોય તો તમારે સતત અગિયાર શુક્રવારે કાળી કીડીઓને ખાંડના દાણા નાખવા જોઈએ, આમ કરવું ખૂબ જ શુભ છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles