fbpx
Friday, May 17, 2024

શુક્રવારે દેવી લક્ષ્મી સાથે સંબંધિત આ ઉપાય કરો, ઘર સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વિધિ વિધાનથી તેમની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મી ધનના દેવી છે. જેના પર તેમની કૃપા થઈ જાય તેના જીવનમાં ધન વૈભવની ખામી રહેતી નથી.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે જો કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા હંમેશા ઘર પર બની રહે છે. જો તમે પણ તમારા ઘરને સુખ સમૃદ્ધિથી છલોછલ કરવા માંગો છો તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મી સંબંધિત આ ઉપાય જરૂર કરવા. 

શુક્રવારના ઉપાય 

શુક્રવારના દિવસે કાળી કીડીઓને ખાંડ ખવડાવવી. દર શુક્રવારે આમ કરવાથી ધન સંબંધિત બાધા દૂર થાય છે. 

શુક્રવારના દિવસે સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરી માતા લક્ષ્મીની પૂજા કરો. માતા લક્ષ્મી ને પૂજામાં કમળનું ફૂલ ચડાવી શ્રી સૂક્તનો પાઠ કરવાથી ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. 

જો તમારા હાથમાં પૈસો ટકતો ન હોય તો શુક્રવારના દિવસે લક્ષ્મી મંદિરમાં કમળનું ફૂલ મખાના કોડી અને શંખ અર્પણ કરો. 

શુક્રવારે ઘરની સાફ-સફાઈ નું ખાસ ધ્યાન રાખવું. ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરી ગરમા ગંગાજળ છાંટવું અને સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજાની બહાર ઘીનો દીવો કરવો. આમ કરવાથી સૌભાગ્ય અને સ્વાસ્થ્ય સારું રહે છે.

શુક્રવારે લક્ષ્મી પૂજાની સાથે લક્ષ્મી નારાયણનો પાઠ કરવાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ જરૂર ધરાવો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles