fbpx
Tuesday, April 30, 2024

ઉનાળામાં પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ શાકભાજીનું સેવન કરો

એક તરફ ઉનાળો શરૂ થઈ ગયો છે. બીજી તરફ આ મોસમમાં ઘણા લોકોને વિવિધ સમસ્યાઓ નડતી હોય છે તેમાં કેટલાક લોકોને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. રજાઓ દરમિયાન બહારનું ખાવાનું, ડિહાઇડ્રેશન અને અનિયમિત દિનચર્યા પાચન ક્રિયાને બગાડી શકે છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં કેટલીક ખાસ શાકભાજીનો સમાવેશ કરવાથી તમે તમારી પાચનક્રિયાને બરોબર કરી શકો છો અને ઉનાળાનો ભરપૂર આનંદ માણી શકો છો.

આજે તમને ઉનાળામાં ખાઈ શકાય તેવી શાકભાજી વિશે વાત કરવી છે જે તમને ફાયદાકારક રહેશે.

દૂધી : દૂધી એક એવી શાકભાજી છે, જે સ્વાદિષ્ટ તો છે પણ તેની સાથે તે પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પાણી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે પાચનક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે. દૂધીનો શુપ અથવા શાક બનાવીને તેનું સેવન કરી શકો છો.

પાલક : પાલકમાં આયર્ન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં રહેલો છે. આ સિવાય તેમાં ફાઈબર પણ સારી માત્રામાં મળી રહે છે. આ પાચનક્રિયાને સ્વસ્થ રાખવાની સાથે- સાથે તે પેટને પણ સાફ કરવામાં ખૂબ મદદ કરે છે. પાલકની દાળ, સૂપ કે સલાડમાં સામેલ કરી શકો છો.

કાકડી : કાકડીમાં પાણી અને મિનરલ્સ ભરપૂર માત્રામાં રહેલા હોય છે, જે ગરમીના દિવસોમાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. કાકડીને સલાડ તરીકે અથવા તો શાક બનાવીને પણ ખાઈ શકો છો.

કારેલા : કારેલાનો સ્વાદ ભલે કડવો હોય, પરંતુ તેના ફાયદા અનેક છે. કારેલાનું જ્યુસ કે તેનું શાક બનાવીને સેવન કરવાથી પાચનક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે. જોકે, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ કારેલાનું સેવન ટાળવું જોઈએ.

ટામેટાં : ટામેટાંનો ઉપયોગ લગભગ દરેક શાક બનાવવા માટે કરવામાં આવતો હોય છે. ટામેટાંમાં રહેલા ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ સિવાય તે પેટના અલ્સરને રોકવામાં પણ મદદ કરે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles