fbpx
Saturday, May 4, 2024

આ મંદિરમાં પત્ની સાથે બિરાજમાન છે હનુમાનજી, વાંચો રસપ્રદ દંતકથા

રામાયણ અનુસાર બજરંગબલી જાનકીને ખૂબ જ પ્રિય છે. બજરંગબલી પણ આ પૃથ્વી પરના સાત ઋષિઓમાં સામેલ છે, જેમને અમરત્વનું વરદાન મળ્યું છે. સમગ્ર બ્રહ્માંડ હનુમાનજીને બાળ બ્રહ્મચારી માને છે, પરંતુ એક એવું મંદિર છે જે સાબિત કરે છે કે હનુમાનજીના પણ લગ્ન થયા હતા. ભારતના કેટલાક ભાગોમાં, હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે.

હનુમાનજી પત્ની સાથે બિરાજમાન છે

તેલંગાણામાં એક એવું મંદિર છે જ્યાં હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે. હૈદરાબાદથી 220 કિમી દૂર ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાનું મંદિર છે. આ એક પ્રાચીન મંદિર છે. અહીં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાની પ્રતિમા છે. એવું માનવામાં આવે છે કે જે પણ હનુમાનજી અને તેમની પત્નીના દર્શન કરે છે, તે ભક્તોના દામ્પત્ય જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પતિ-પત્ની વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે.

જાણો કોણ છે હનુમાનજીની પત્ની

આ વિસ્તારોમાં પ્રચલિત માન્યતાઓ અનુસાર, હનુમાનજીની પત્નીનું નામ સુવર્ચલા છે અને તે સૂર્યદેવની પુત્રી છે. અહીં હનુમાનજી અને સુવર્ચલાનું પ્રાચીન મંદિર આવેલું છે. આ સિવાય પરાશર સંહિતામાં હનુમાનજી અને સુવર્ચલાના વિવાહની કથા પણ છે.

આ રીતે હનુમાનજીના લગ્ન થયા હતા

દંતકથા અનુસાર, હનુમાનજી સૂર્ય ભગવાન પાસેથી વિદ્યા મેળવી રહ્યા હતા. સૂર્ય ભગવાન પાસે તેમને 9 વિદ્યા શિખવાની હતી. સૂર્ય નારાયણે તેને 9માંથી 5 વિદ્યાઓ શીખવી હતી, પરંતુ બાકીની વિદ્યાઓ પ્રાપ્ત કરવા માટે તેના લગ્ન કરવા જરૂરી હતા.

આ વિના તે આ વિદ્યા પ્રાપ્ત કરી શકાય તેમ ન હતી. ત્યારે હનુમાનજીની સામે એક સમસ્યા ઊભી થઈ. તે બાળ-બ્રહ્મચારી હતા. સૂર્યદેવે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો. તેમણે તેમની શક્તિથી એક છોકરીને જન્મ આપ્યો. જેનું નામ સુવર્ચલા હતું. સૂર્યદેવે બજરંગબલીને સુવર્ચલા સાથે લગ્ન કરવા કહ્યું.

સૂર્યદેવે કહ્યું કે હનુમાન સુર્વચલા સાથે લગ્ન પછી પણ બ્રહ્મચારી રહેશે, કારણ કે લગ્ન પછી સુવર્ચલા તપસ્યામાં મગ્ન રહેશે. પવન પુત્ર સાથે લગ્ન કર્યા પછી, સુવર્ચલા તપસ્યા કરવા જતા રહ્યા. આ રીતે શ્રી રામ ભક્તના બ્રહ્મચર્યમાં કોઈ અવરોધ ન આવ્યો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles