fbpx
Saturday, May 4, 2024

આ લોકો સ્વર્ગનું સુખ ભોગવીને જન્મ લે છે ધરતી પર, તેમની ઓળખ થાય છે આ વિશેષ ગુણોથી

આચાર્ય ચાણક્ય તેમની નીતિઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમના વિચારો આજે પણ પ્રાસંગિક છે. નિષ્ણાતો મુજબ આચાર્ય ચાણક્ય તેમની કૂટનીતિથી દુશ્મનોને નિયંત્રણમાં રાખવામાં માહેર હતા. તેમના વિચારો અને નિવેદનોને અનુસરીને સમ્રાટ ચંદ્રગુપ્ત તે સમયના સમ્રાટ બન્યા હતા. તેમના પ્રયાસોને કારણે જ મૌર્ય સામ્રાજ્યની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ હતી.

આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં વ્યક્તિના ગુણો અને અવગુણો વિશે જણાવ્યું છે. તેમના મતે, કેટલાક લોકો નરકની પીડા સહન કરીને પૃથ્વી પર જન્મ લે છે. તેમની ઓળખ વ્યક્તિ વિશેષમાં રહેલા અવગુણો દ્વારા કરી શકાય છે.

જ્યારે આચાર્ય ચાણક્યએ સ્વર્ગનું સુખ ભોગવીને ધરતી પર જન્મેલા લોકો કેવા હોય છે તેના વિશે પણ જણાવ્યું છે. તેમણે નીતિશાસ્ત્રના સાતમા અધ્યાયના સોળમાં શ્લોકમાં કહ્યું છે કે, સ્વર્ગનું સુખ ભોગવીને ધરતી પર જન્મેલા લોકોમાં ચાર ગુણો જોવા મળે છે. તો ચાલો જાણીએ આચાર્ય ચાણક્ય દ્વારા જણાવેલા ગુણો તથા અવગુણો વિશે, જેનાથી વ્યક્તિ સ્વર્ગમાંથી આવ્યો છે કે નરકમાંથી તે જાણી શકાય.

સ્વર્ગનું સુખ ભોગવીને ધરતી પર જન્મેલા લોકોમાં હોય છે આ 4 ગુણો

स्वर्गस्थितानामिह जीवलोके चत्वारि चिह्नानि वसन्ति देहे।
दानप्रसङ्गो मधुरा च वाणी देवार्चनं ब्राह्मणतर्पणं च॥

આચાર્ય ચાણક્ય તેમની રચના નીતિશાસ્ત્રના સાતમા અધ્યાયના સોળમા શ્લોકમાં કહે છે કે, આ ચાર ગુણો એવા લોકોમાં જોવા મળે છે જેઓ સ્વર્ગનું સુખ ભોગવીને પૃથ્વી પર જન્મ લે છે. તેઓ મૃદુભાષી હોય છે, દાન કરે છે, ભગવાનની પૂજા કરે છે અને બ્રાહ્મણોને દાન આપે છે. આવા લોકો સ્વર્ગમાંથી સુખ ભોગવીને પૃથ્વી પર જન્મ લે છે.

નરકના દુઃખો ભોગવીને પૃથ્વી પર જન્મેલા લોકોમાં જોવા મળે છે આ ચાર અવગુણો

अत्यंतकोप: कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरम्।
नीचप्रसंग: कुलहीन सेवा चिह्ननानि देहे नरक स्थितानाम।।

આચાર્ય ચાણક્ય નરક ભોગવીને પૃથ્વી પર જન્મ લેનારા લોકો વિશે કહે છે કે, આવા લોકોની ઓળખ ચાર અવગુણોથી થાય છે. તેઓ કઠોર વક્તા, ગરીબ, દુષ્ટ વ્યક્તિઓ સાથે સંગત રાખનાર અને કુટુંબના સભ્યો અને મિત્રો પ્રત્યે દુષ્ટતા અને દુશ્મનાવટ ધરાવતા હોય છે. આવા લોકો ન તો આ દુનિયામાં અને ન તો ઉપરની દુનિયામાં સુખી રહી શકે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles