fbpx
Saturday, May 18, 2024

શનિવારે આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિદેવ કર્મફળના દાતા છે. માન્યતા છે કે દરેક વ્યક્તિને શનિદેવ તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ-શાંતિ વધે છે. 

આ વસ્તુઓનું કરો દાન 

હિન્દુ ધર્મમાં દાન પુણ્યનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શનિવારના દિવસે જો તમે કાળા તલ, અડદ, ગોળ, તેલ કે કાળા વસ્ત્રનું દાન કરો છો તો શનિદેવની કૃપા હંમેશા રહે છે. 

નોકરી માટે ઉપાય

જો તમને અથાગ પ્રયત્નો છતાં પણ નોકરી નથી મળી રહી તો શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે 9 દીવા કરો અને ત્યારપછી તેની પરિક્રમા કરો. કહેવાય છે કે તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

દીવામાં લવિંગ

આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો શનિવારના દિવસે દીવો કરો તો તેમાં લવિંગ ઉમેરી દેવું. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. 

શનિદોષ માટે 

જો કુંડળીમાં શનિદોષ હોય તો શનિવારે “ઓમ એં હ્રીં શ્રીં શનૈશ્ચરાય નમ:” મંત્રનો 108 વખત જાપ કરવો. તેનાથી શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે. 

કાળા કૂતરાની સેવા 

શનિવારના દિવસે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કાગડાને અને કાળા રંગના કૂતરાને રોટલી ખવડાવો. કહેવાય છે કે તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles