fbpx
Monday, May 20, 2024

સૂર્યાસ્ત સમયે ન કરો આ કાર્ય, વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબી

દરેક શુભ કામ મુહૂર્ત જોઈને કરવામાં આવે છે કારણ કે તેનાથી શુભ પરિણામ મળે છે. જો સમય બરાબર ન હોય તો કોઈપણ સારું કામ કરવાની મનાઈ હોય છે. કારણ કે ખોટા સમયે જો સારું કામ પણ કરવામાં આવે તો પણ તેનું અશુભ ફળ મળે છે. 

શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત સમયે પણ કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. સૂર્યાસ્ત સમયે કરેલા કેટલાક કામ જીવનમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. સૂર્યાસ્ત સમયે કેટલાક કામ કરવામાં આવે તો દેવી-દેવતા નારાજ થઈ જાય છે. તેનાથી ઘરમાંથી બરકત જતી રહે છે અને પ્રગતિ અટકી જાય છે. 

સૂર્યાસ્ત સમયે કયા કામ ન કરવા ?

સૂર્યાસ્ત સમયે કોઈ વ્યક્તિને દૂધ, દહીં, છાશ આપવા નહીં. આ વસ્તુઓનો સંબંધ શુક્ર ગ્રહ અને લક્ષ્મીજી સાથે હોય છે. આ વસ્તુઓનું દાન કરવાથી કે કોઈને આપવાથી ઘરમાંથી બરકત પણ જતી રહે છે. આ ઉપરાંત સુખ, શાંતિ પણ છીનવાઈ જાય છે. 

સૂર્યાસ્ત સમયે અને ખાસ તો ગુરુવારે ભુલથી પણ કોઈને હળદર ન આપવી. હળદરનો સંબંધ ગુરુ અને ભગવાન વિષ્ણુ સાથે હોય છે. તેનાથી જીવનમાંથી સુખ, સૌભાગ્ય, ધન છીનવાઈ જાય છે. સાંજના સમયે કોઈને હળદર આપવાથી સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલી જાય છે. 

સૂર્યાસ્ત સમયે ઘરમાં ક્યારેય ઝાડુ કરવું નહીં. ઘરમાં સાફ સફાઈ સૂર્યાસ્ત પહેલા કરી લેવી. સંધ્યા સમયે કે રાત્રે ઝાડુ કરવાથી ઘરમાં આવતી લક્ષ્મી પણ જતી રહે છે. 

સૂર્યાસ્ત સમયે ઘરમાં અંધારું રાખવું નહીં. ખાસ તો ઘરના મખ્ય દરવાજા પાસે અંધારું ન રાખો. તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે. નિયમિત સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો.

સૂર્યાસ્ત સમય પછી કોઈપણ વ્યક્તિને સોઈ કે મીઠું આપવું નહીં. આ વસ્તુઓ કોઈને આપવાથી જીવનમાં સમસ્યાઓ વધે છે. અને જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles