બુધવારનો દિવસ પ્રથમ પૂજાપાત્ર ભગવાન ગણેશજીને સમર્પિત છે. તેમજ ગ્રહ પ્રમાણે આ દિવસે બુધ ગ્રહની પૂજાથી વિશેષ લાભ મળે છે. બુધવારનું નામ બુધ ગ્રહ પરથી જ રાખવામાં આવ્યું છે. જેમની કુંડળીમાં બુધ કમજોર છે, તેમણે બુધવારે કેટલાક ઉપાયો કરવા જોઈએ. જો બુધની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિને વાણી તેમજ બૌદ્ધિક તકલીફો આવી શકે છે..
જ્યોતિષ શાસ્ત્રમાં બુધવારે કરિયર અને બિઝનેસમાં પ્રગતિ માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે.
બુધવારે કરવા લાયક ઉપાય-પૂજા
- જો તમે આર્થિક સમસ્યાઓના કારણે દેવાથી પરેશાન છો, તો તમારે દર બુધવારે ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો થાય છે.
- દરેક બુધવારે ભગવાન ગણેશને શમીના પાન અને દુર્વા અર્પણ કરવી જોઈએ. જો શમીના પાન ન મળે તો દુર્વા ચઢાવી શકાય.
- બુધવારે મા દુર્ગાનું ધ્યાન કરતી વખતે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં કોઈ ખરાબી આવતી નથી અને પરિવારમાં સુખ-શાંતિ રહે છે.
- બુધવારે લીલા મગની દાળનું દાન કરવું જોઈએ. તેમજ આ દિવસે પરિવાર સાથે લીલા મગની દાળનું સેવન કરવું પણ ફાયદાકારક માનવામાં આવે છે.
- બુધવારે ગાયને લીલું ઘાસ અથવા પાલક ખવડાવો. આમ કરવાથી 33 કરોડ દેવી-દેવતાઓની કૃપા અને ગ્રહ દોષોની પીડા પણ દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)