fbpx
Friday, April 26, 2024

મુકેશ અંબાણી પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે 27માં માળે કેમ એ જાણીને નવાઈ લાગશે

શું તમે જાણો છો એશિયાના સૌથી આમિર વ્યક્તિ ક્યાં રહે છે? કઈ બિલ્ડીંગમાં રહે છે? ક્યાં ફ્લોર પર રહે છે? તેમના ઘરમાં કેટલા વ્યક્તિઓનો સ્ટાફ છે? તેમનું ઘર કેટલું મોંઘુ છે? તો આજે અમે તમને જણાવીશું એ વ્યક્તિ વિષે અને તેમની અમીરી વિષે.

આજે તમે જે વ્યક્તિના ઘર વિશે જાણવા જઈ રહ્યા છો તેનું નામ છે મુકેશ અંબાણી. એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નામનો સમાવેશ વિશ્વના 10 સૌથી અમીર લોકોની યાદીમાં કરવામાં આવ્યો છે.

મુકેશ અંબાણી દક્ષિણ મુંબઈના અલ્ટ્રામાઉન્ટ રોડ પર એન્ટિલિયા નામના આલીશાન મહેલમાં રહે છે.

એન્ટિલિયામાં મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, દીકરા આકાશ વહુ શ્લોકા અને નાના દીકરા અનંત સાથે રહે છે. લંડન બંકિઘમ પેલેસ પછી વિશ્વનું આ બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર છે. મુકેશ અંબાણીના આ આલીશાન બંગલાની કિંમત દોઢ કરોડથી લઈને બે કરોડ થી વધારે ગણવામાં આવે છે.મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી તેમના પરિવાર સાથે એન્ટિલિયાના 27માં માળે રહે છે. તમારા મનમાં આ પ્રશ્ન આવી શકે છે કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ફક્ત 27મા માળે જ કેમ રહે છે? તેની પાછળ પણ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે.

એક રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને પૂછવામાં આવ્યું કે તેઓ કેમ એન્ટિલિયામાં 27માં માળે રહો છો તો તેના જવાબમાં તેઓ જણાવે છે કે 27માં માળે રહેવાનું મુખ્ય કારણ છે સૂર્યપ્રકાશ. નીતા અંબાણી ઇચ્છતી હતી કે તેઓ જ્યાં પણ રહે તેમના બધા જ રૂમમાં સૂર્યની કિરણો પોતાનો પ્રકાશ ફેલાવે. આ કારણે જ અંબાણી પરિવારે રહેવા માટે 27મો માળ પસંદ કર્યો.

તમને જણાવી દઈએ કે 27મા માળની સુરક્ષા એટલી કડક છે કે ત્યાં માત્ર અંબાણી પરિવારના નજીકના મિત્રોને જ જવા દેવામાં આવે છે. એમાં કોઈ શંકા નથી કે અંબાણી પરિવારમાં દરેક વ્યક્તિ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી અને ખૂબ જ શાહી જીવન જીવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એન્ટિલિયામાં કુલ 600 લોકો અંબાણી પરિવારની સેવા કરવા માટે કામ કરે છે.

એન્ટિલિયામાં કામ કરવાવાળા બધા જ લોકોને ખુબ સારી સેલેરી મળે છે. તમને જણાવી દઈએ કે બઇમેન્શનમાં કામ કરવાવાળા સ્ટાફના બાળકો અમેરિકામાં ભણે છે. તેની પરથી તમે અંદાજો લગાવી શકો છો કે અંબાણી ઘરમાં કામ કરવાવાળા સ્ટાફને કેટલી સેલેરી આપતા હશે. બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ અનુસાર, જ્યારે નીતા અંબાણીને તેમના સ્ટાફના પગાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, અમારા તમામ સ્ટાફને તેમના પરફોર્મન્સ પ્રમાણે પગાર આપવામાં આવે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles