fbpx
Monday, May 20, 2024

અધિકામાસા સાથે ભગવાન રામનો ખાસ સંબંધ, જાણો પુરુષોત્તમ માસનું નામ કેવી રીતે પડ્યું

હિન્દુ પંચાંગ અનુસાર સૂર્ય વર્ષ 365 દિવસોનું હોય છે અને ચંદ્ર વર્ષ 354 દિવસોનું હોય છે. બંને વર્ષમાં આશરે 11 દિવસોનું અંતર હોય છે. આ અંતર દર ત્રીજા વર્ષે લગભગ એક મહિનાનું થઇ જાય છે. આ અંતરને દૂર કરવા માટે દર ત્રીજા વર્ષે મલમાસ કે અધિક માસ લાગે છે. આ ઉપરાંત મલમાસને પુરુષોત્તમ માસના નામે પણ ઓળખવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, અધિકમાસના અધિપતિ ભગવાન વિષ્ણુ છે અને પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે. ભગવાન વિષ્ણુએ જ રામના રૂપે રાક્ષસોનો નાશ કરવા માટે ધરતી પર જન્મ લીધો હતો. આ ઉપરાંત ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ કહેવામાં આવે છે. મલમાસ અધિક માસ અને પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. કદાચ આ જ કારણ છે કે આ માસને પુરુષોત્તમ માસના નામે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક પુરાણોમાં તેને લઇને ઘણી કથાઓ પ્રચલિત છે.

પ્રાર્થના કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા

પૌરાણિક કથાઓ અનુસાર મલમાસ હોવાના કારણે કોઇપણ આ માસના સ્વામી બનવા તૈયાર ન હતું. ત્યારે ભગવાન વિષ્ણુને સમસ્ત દેવી-દેવતાઓએ તેમના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. પ્રાર્થના કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેમણે પોતાનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ પ્રદાન કર્યુ. આ ઉપરાંત ભગવાન વિષ્ણુએ આશીર્વાદ આપ્યા કે જે પણ આ માસમાં કથા મનન ભગવાન શંકરની વિધિ-વિધાન પૂર્વક પૂજા-આરાધના અને ધાર્મિક અનુષ્ઠાન કરશે તેને પુણ્યફળની પ્રાપ્તિ થશે.

શ્રીમદ ભગવત કથા માટે સૌથી પવિત્ર

પુરુષોત્તમ માસનો મહિનો પૂજા-પાઠ અને શ્રીમદ ભગવત કથા માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી હરિ જગતપતિ વિષ્ણુની ભક્તિ કરવામાં આવે છે. તેમની ઉપાસના કરવામાં આવે છે.

જો જાતક વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરે તો તેને અનેકગણા ફળની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસ સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles