fbpx
Friday, May 17, 2024

આ ખાસ ઉપાયથી હનુમાન દાદાને કરો પ્રસન્ન, દૂર થશે દરેક સંકટ

જયોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ખૂબ જ મહત્વ હોય છે. તેવામાં હાલમાં કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડેસાતી ચાલી રહી છે. જે વર્ષ 2025ના માર્ચ મહિના સુધી ચાલશે.

આ સમયગાળા દરમિયાન શનિની સાડાસાતીને લઈને આ રાશિના વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવી શકે છે. ત્યારે શનિના આ પ્રકોપથી બચવા માટે આ રાશિના લોકોએ રોજ હનુમાનજીની પૂજા કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.

હનુમાનજીની પૂજા કરવાથી થાય છે ફાયદા

ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી શનિની કોઈ અશુભ અસર થતી નથી. ધાર્મિક કથાઓમાં એવો ઉલ્લેખ છે કે, શનિદેવને રાવણે લંકામાં બંદી બનાવ્યા હતાં આ વેળાએ હનુમાનજીએ જ શનિદેવને રાવણના બંધનમાંથી છોડાવ્યા હતા આ દરમિયાન શનિદેવે હનુમાનજીને વચન આપી કહ્યું હતું કે આજથી મારી અશુભ અસર તમારા ભક્તો પર ક્યારેય પડશે નહિ. આ માન્યતા અનુસાર હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

હનુમાન ચાલીસાનો પાઠ કરવો

કળિયુગમાં જાગૃત દેવ તરીકે જેની પૂજા કરવામાં આવે છે હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય તેવી માન્યતા રહેલી છે. તેમાં પણ હનુમાનને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.સાથે જ શ્રી રામ અને માતા સીતાજીનું પણ સ્મરણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તેને જીવનમાં મુશ્કેલી આવતી આટકે છે. આથી કુંભ, મકર અને મીન રાશિના લોકોએ દરરોજ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શ્રી રામ અને માતા સીતાના નામનું સ્મરણ કરવું જોઈએ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles