fbpx
Tuesday, April 30, 2024

અષ્ઠમીના દિવસે કરો માતા દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા, જાણો વિધિ અને મહત્વ

ચૈત્ર નવરાત્રીનો આજે આઠમો દિવસ એટલે અષ્ટમી 16 એપ્રિલે છે. ત્યાં જ 17 એપ્રિલે મહાનવમી પર ભગવાન રામનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. જ્યોતિષ અનુસાર અષ્ટમીનો પ્રારંભ 15 એપ્રિલે બપોરે 12.11 વાગ્યે થયો. ત્યારે સમાપન આજે બપોરે 1.23 વાગ્યે થશે. એવામાં નવરાત્રીની અષ્ટમી તિથિ આજે ઉજવવામાં આવશે. અષ્ઠમીનો દિવસ માતા દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા થાય છે. માનવામાં આવે છે કે આજના દિવસે માતા દુર્ગા પોતે ધરતી પર આવ્યા હતા. તેમજ આજના દિવસે કુળદેવીની પૂજાનું પણ ખાસ મહત્વ છે. તો ચાલો જાણીએ મહાષ્ટમીની પૂજા વિધિ મુહૂર્ત અને સામગ્રી…

કુળદેવીની પૂજાનું મહત્વ

આજે ચૈત્ર નવરાત્રીની અષ્ટમી તિથિએ કુળદેવીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દરેક પરિવારમાં કુળદેવીની પૂજા કરવામાં આવે છે. આ સિવાય ઘણી જગ્યાએ પોતાના પૂર્વજોને કુળદેવી અને કુળદેવતાઓ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો માત્ર કુળદેવ અથવા કુળદેવીની પૂજા કરવાથી ઘરની પરેશાનીઓ દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. કુળદેવીની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

બની રહ્યા બે શુભ યોગ

અષ્ટમી તિથિના દિવસે બે શુભ યોગ પણ બની રહ્યા છે. આમાં એક ધૃતિ છે અને બીજો શૂલ યોગ છે. આ બે યોગમાં દેવી દુર્ગાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દુર્ગાષ્ટમી પૂજા વિધિ

આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને પછી ગંગા જળ ચઢાવીને પૂજા સ્થાનને પવિત્ર કરો. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. મા દુર્ગાને ગંગા જળથી અભિષેક કરો. માતાને અક્ષત, સિંદૂર અને લાલ ફૂલ અર્પણ કરો, પ્રસાદ તરીકે ફળ અને મીઠાઈઓ અર્પણ કરો. ધૂપ અને દીવા પ્રગટાવો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને પછી માતાની આરતી કરો. માતાને પણ ભોજન અર્પણ કરો. ધ્યાનમાં રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે.

દુર્ગાષ્ટમી પૂજા સામગ્રીની સંપૂર્ણ યાદી

લાલ ચુનરી
લાલ કપડું
મોલી
શ્રુંગારનું સામાન
દીવો
ઘી/તેલ
ધૂપ
નાળિયેર
અક્ષત ચોખા
કુમકુમ
ફૂલ
દેવીની મૂર્તિ અથવા ફોટો
પાન
સોપારી
લવિંગ
એલચી
બતાશે અથવા મિસરી
કપૂર
ફળો અને મીઠાઈઓ
કલાવા

આ શુભ મુહૂર્તમાં કરો કન્યા પૂજા

કન્યા પૂજા અષ્ટમી અને નવમી તિથિ પર કરવામાં આવે છે. કન્યાની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખનો નાશ થાય છે. તેનાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે. આખા વર્ષ દરમિયાન ભક્ત પર તેમની વિશેષ કૃપા રહે છે. જો તમે અષ્ટમી તિથિ પર કન્યાની પૂજા કરવા માંગો છો, તો શુભ સમય સવારે 7.21 થી 11.05 સુધીનો છે. કન્યા પૂજામાં 3 થી 8 વર્ષની વયની છોકરીઓને ભોજન કરાવવામાં આવે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles