ગુજરાતના સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. લોકો સોમનાથ મંદિરમા દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવનુ આ મંદિર દરિયાકિનારે આવેલુ છે. આ મંદિર વિશે જાણો વિશેષ માહિતી.
સોમનાથ મંદિર ગુજરામા આવેલું પ્રસિધ્ધ મંદિર છે. સોમનાથ મંદિરમાં શંકર ભગવાનનુ શિવલિંગ છે. સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગો માંથી એક છે. આ શંકર ભગવાનનુ એક એવું મંદિર છે, જયા દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે.
સોમનાથના આ પૌરાણિક મંદિરને ઈતિહાસમાં ઘણી વખત તોડવામાં આવ્યું હતું, પરંતુ દરેક વખતે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો. લોકોનુ એવુ માનવુ છે કે આ મંદિરનો સંબંધ ચંદ્રદેવની સાથે જોડાયેલો છે. આ મંદિરનુ શરુઆતનુ માળખું સૌથી પહેલા ચંદ્રદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
ઈતિહાસમા જણાવ્યા મુજબ આ મંદિર લાખો વર્ષ પહેલાનુ છે અને આ મંદિર પર અનેક વાર હુમલા થયાનુ સામે આવેલ છે.
સોમનાથ મંદિર પર 1024માં મહમૂદ ગઝનીએ, 1296માં ખિલજીની સેનાએ, 1375માં મુઝફ્ફર શાહે અને 1665માં ઔરંગઝેબે નષ્ટ કર્યું હતું. આ રીતે સોમનાથ મંદિર પર લગભગ 15થી પણ વધુ વખત હુમલા થયા હોવાનુ માનવામા આવે છે.
લોક માન્યતા અનુસાર એવુ માનવામા આવે છે કે આ મંદિરમા પ્રસિદ્ધ સ્યામંતક રત્ન સોમનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન શિવના શિવલિંગના પોલાણમાં સુરક્ષિત રીતે છુપાયેલું છે અને લોકો એવુ માને છે કે આ પથ્થરમાં સોનું પેદા કરવાની ક્ષમતા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)